રાજકોટ,
જ્યારે ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે રાજકોટના આહિર ચોકમા પરપ્રાંતિયો મોટી સંખ્યામાં પોતાના વતન જવા માટેની માંગ સાથે એકઠા થયા હતા. અને તમામ શ્રમિકો પોતાના વતન જવા માટે નારા લગાવાની સાથે ધરણા પર બેસી ગયા હતા. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા શ્રમીકોને સમજાવવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો.
રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ